Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Vegetarianism
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM
      • LNDYM Camp 2025
    • LNDMM
  • SVG Charity
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Vegetarianism
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM
      • LNDYM Camp 2025
    • LNDMM
  • SVG Charity
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Nand Santo » Swaminarayan Sant – Vasudevanand Brahmchari

Swaminarayan Sant – Vasudevanand Brahmchari

  • Published On: 28 February 2018
Swaminarayan Sant – Vasudevanand Brahmchari

ગુજરાતી

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર બેઠી દડીના વાસુદેવાનંદ બ્રહ્મચારી સાબરકાંઠા જીલ્લામાં મોડાસા પાસે ‘માલપર ’નામનાં ગામનાં હતા. તેમનો જન્મ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ પરિવારમાં સંવત્‌ ૧૮પપ માં થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ ‘જીવતરામ શર્મા’ હતું. યજ્ઞોપવીત સંસ્કાર પછી ભણવામાં રુચિ હોવાથી શ્રીહરિના આશ્રિત લક્ષ્મીરામ શાસ્ત્રી પાસે નાંદોલ ગામમાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.

લક્ષ્મીરામ શાસ્ત્રી શાસ્ત્રોના અધ્યાપન સાથે જીવતરામને પ્રગટ પુરૂષોત્તમનું સ્વરૂપ સમજાવતા. તેથી શ્રીહરિને વિષે તેને પ્રીત બંધાણી. સંવત્‌ ૧૮૬૭માં શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા હતા.જીવતરામને મહારાજના દર્શન કરવાની ઉત્કટ લાલસા થવાથી તેઓ લક્ષ્મીરામ સાથે ગયા.

પૂર્વની પ્રીત જાગી ઉઠી. જીવતરામનાં અંતરમાં મહારાજની મૂર્તિ વસી ગઈ. ત્રણ-ચાર દિવસના રોકાણ પછી લક્ષ્મીરામ શાસ્ત્રીને કહ્યું ‘‘ ઘેર કહી દેજો મારી ચિંતા ન કરે’’ અને મહારાજને વિનંતી કરી. પ્રભુ ! મને ત્યાગીની દીક્ષા આપો. જીવતરામની ઉત્કટ મુમુક્ષુતા, જીજ્ઞાસુતા, વૈરાગ્ય-વિવેક વગેરે ગુણો પીછાળીને શ્રીજી મહારાજે જેતલપુરમાં ત્યાગીની દીક્ષા આપી. ‘‘ વાસુદેવાનંદ ’’ એવું શુભ નામ પાડ્યું.

વાસુદેવાનંદ વર્ણીને નિત્યાનંદ સ્વામી ભણાવતા હતા. તેઓ નમણા અને નાજુક હોવાથી વર્ણી સૌને ગમતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અઠંગ પાલન કરનાર તેઓ યતિવર હતા. તેથી મહારાજ તેમને સનતકુમાર કહેતા. મહારાજે તેમનાં નિષ્કામી વર્તમાનની પ્રશંસા કરીને લોયામાં તેમની પૂજા અર્ચન કરી ચરણોદક પીધું હતું.

વાસુદેવાનંદ વર્ણી રૂપે ગુણે પૂર્ણ હતા. તેઓ કથા કરતાં ત્યારે મોટા મોટા વિદ્વાનો તથા રાજાઓ પણ મંત્રમુગ્ધ થઈને મહારાજના આશ્રિત થતા.એમની રસાળશૈલી અને સાધુતા યુક્ત જીવનના પ્રભાવથી પ્રાંતીજના બ્રાહ્મણ હરિશંકર શુક્લ વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા.

સંવત્‌ ૧૮૮૪ની વૈશાખ વદ ર ના દિવસે જૂનાગઢમાં શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા પછિ પ્રથમ પૂજારી તરીકે ગુણાતીતાનંદ સ્વામીની વિનંતીથી વાસુદેવાનંદ વર્ણીને કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવામાં વાસુદેવાનંદજીએ શ્રીજી મહારાજનાં લીલા ચરિત્રોથી ભરપુર સંસ્કૃત ગ્રંથ ‘‘ સત્સંગિ ભૂષણ ’’ રચ્યો છે. લાલિત્ય પૂર્ણ અને અર્થ ગાંભીર્ય યુક્ત આ ગ્રંથમાં શ્રીજી મહારાજનું સર્વ નિયંતાપણુ, સર્વાવતારીપણું ગુંથ્યું છે

તેઓએ આ ગ્રંથનું લેખન કાર્ય કપડવંજ, શિયાણી, અમદાવાદ, વહેલાલ,પેથાપુર વગેરે જગ્યાએ રહીને કર્યું છે. વાસુદેવાનંદ વર્ણીએ હાલાર, ઝાલાવાડ,મચ્છુકાંઠો તથા ગુજરાતમાં સત્સંગ કરાવી લોકોને ભગવત્પ્રેમી કર્યા હતા.આવા શ્રીજી મહારાજની માળાના મણકા સમાન વર્ણીનો અક્ષરવાસ સંવત્‌ ૧૯ર૦ કારતક વદ ૧૦ ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદમાં સાબરમતી નદીનાં તટે નારાયણ ઘાટ પર એમની છત્રી છે.

તેઓ ધામમાં ગયા પછી એમણે રચેલ સત્સંગિ ભૂષણ ગ્રંથની ટીકા આચાર્ય કેશવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી હળવદના શાસ્ત્રી કૃપાશંકરે કરેલ. જ્યારે કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકના અર્થ બેસતાં નહીં ત્યારે વાસુદેવાનંદજી વર્ણી સ્વપ્નમાં દર્શન દઈને કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકોના અર્થ સ્પષ્ટ કરતા.

આવા વિદ્વત્‌વરેણ્ય, મહારાજના લાડકવાયા પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યની આભા પ્રભાથી અનેકને પરમાનંદની પ્રાપ્તિ કરાવનારા વાસુદેવાનંદ વર્ણીના ચરણમાં શતશઃ પ્રણામ…

English

Vasudevanand Brahmchari was born in VS 1855 in Malapur town in Gujarat. He was a Trivedi Movada Brahmin. He obtained diksha in Jetalpur and was initially named Gopalanand Brahmchari then later Vasudevanand

Once at Loya village he was asked to do a katha by Lord. The assembly was overcome by his performance and Lord was very pleased. It was at this time the Lord gave him the new name of Vasudevanand Brahmchari . He wrote the Satsangi Bhushan and died in VS 1920 in Ahmedabad

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (22)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (3)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (6)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (4)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2025. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below