Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Festival » માઘસ્નાન – Maghasnan

માઘસ્નાન – Maghasnan

  • Published On: 18 January 2019
માઘસ્નાન – Maghasnan

ગુજરાતી

માઘસ્નાન:

  • પોષ સુદ પુનમ થી મહા સુદ પુનમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે.
  • ભારત ઋષિમુનિઓનો દેશ છે. ઋષિમુનિઓએ પોતાના જ્ઞાનના  અનુભવોના નિચોડ રુપે સમાજના કલ્યાણ માટે શાસ્ત્રો ની રચના કરી છે. તેમજ આપણાં સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે. ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઓરાગ્ય વર્ધક સાબિત થયા છે. આવા વ્રતો જો ભગવાને  પ્રસન્ન  કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.
  • માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડાપાણીથી સ્નાન કરાય તેને માઘ સ્નાન કહેવાય છે. કડકડતી ઠંડીમાં માઘસ્નાનથી પ્રથમ શરીર થીજી ગયાની અનુભૂતિ થાય છે. ત્યાર બાદ ઠંડી જ ગાયબ થઇ જાય છે. આ માઘ સ્નાન સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો વધારે છે.

 

માઘસ્નાન દરમિયાન:

  • અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘસ્નાનના સમયને ઋષિમુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે. તેનાથી પણ તારા દેખાતા હોય ને જે માઘસ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે. તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું, તે મધ્યમ સ્નાન કહેલું છે. અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે.
  • માઘસ્નાનમાં ગરમજળથી જે સ્નાન કરવું તે વૃથાસ્નાન કહેલું છે. તે જ રીતે વેદ પુરાણાદિ શાસ્ત્રમાં કહ્યા સિવાયના અવૈદિક કે અપૌરાણિક મંત્રનો જપ પણ વૃથાજપ કહેલો છે. વેદ શાસ્ત્રાદિકનું અધ્યયન કર્યા વિનાના બ્રાહ્મણને દાન આપવું તે વૃથાદાન કહેલું છે. તેમજ બ્રાહ્મણાદિકની સાક્ષીએ રહિત કરેલું ભોજન પણ વૃથા ભોજન કહેલું છે. તેથી ગૃહસ્થોએ અતિથિ આદિકને જમાડીને જ જમવું જોઇએ
  • બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક સ્નાન કરવું, તેમજ શૂદ્રો અને સ્ત્રીઓએ મૌન રહીને સ્નાન કરવું.
  • મારા આશ્રિત સર્વે ભક્તજનોએ માઘ મહિનામાં નદી-તળાવ-કૂવા પર અથવા પોતાને ઘેર પણ ઠંડા જળથી સૂર્ય દર્શન પહેલાં જ સ્નાન કરી લેવું.
  • તીર્થમાં સ્નાન સમયે મસ્તક પર તીર્થની મૃત્તિકા લગાવી ને સ્નાન કરવું, ને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ઘ્ય આપવું
  • તીર્થજળમાં જ ઊભા રહી પિતૃતર્પણ પણ કરવું. ત્યારપછી જળથી બહાર આવી પોતાના ઇષ્ટદેવ શ્રીપુરુષોત્તમનારાયણને નમસ્કાર કરી પૂજા કરવી
  • જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત્ ઉપર વસ્ત્ર ઓઢયા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં કરતાં જવું
  • તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન, અને તલનું જ દાન કરવું
  • માઘસ્નાન દરમ્યાન શક્તિશાળી પુરુષોએ પૃથ્વી પર જ શયન કરવું, બ્રહ્મચારીઓએ પોતાને યોગ્ય બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. જે પૃથ્વી પર શયન કરવાદિક નિયમો પાળી શકે તેમ ન હોય તેમણે પણ સ્નાન કરવાનો તો અવશ્ય નિયમ રાખવો.
  • માઘસ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું, તેમાં તલના ત્રણભાગ અને એક ભાગ સાકરનો મનાયેલો છે.

 

માઘસ્નાનનું ફળ- મહિમા :

  • હે મુનિ ! હવે તીર્થો કહું છું. તીર્થરાજ પ્રયાગક્ષેત્ર, પુષ્કર કે કુરુક્ષેત્રમાં જઇને ત્યાં માઘ મહિના પર્યંત નિત્યે સ્નાન કરવું, આવા પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે.
  • હે મુનિ ! સમુદ્રને નહિ મળતી જે કોઇ નદીમાં માઘમાસમાં એક દિવસ સ્નાન કરવા માત્રથી ત્રણ દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ સમુદ્રને મળતી નદીમાં સ્નાન કરવાથી એક પખવાડીયાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. અને નદીઓના પતિ સમુદ્રમાં માઘ માસ દરમ્યાન માત્ર એક દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે.
  • સરોવર, નદી, કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં માટીના નવા ઘડામાં જળ ભરી રાખીને રાત્રીએ ખુલ્લી જગ્યાએ વાયુના આઘાતથી અતિશય ઠંડા થયેલા જળથી માઘસ્નાન કરવું, તે ગંગાજળમાં સ્નાન કર્યા બરાબર મુનિઓએ કહ્યું છે.
  • જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત્ ઉપર વસ્ત્ર ઓઢયા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં કરતાં જાય ને ત્યાં એ જ રીતે સાક્ષાત્ સ્નાન કરે ને ફરી ખુલ્લા શરીરે જ ઘેર પરત ફરે છે, તે મનુષ્ય હરિસ્મરણ સાથે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞાનું ફળ પામે છે.
  • તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન, અને તલનું જ દાન કરનારા, આ રીતે છ પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારના સર્વ પ્રકારનાં પાપનો નાશ થાય છે.
  • આ રીતે માઘસ્નાન કરવા પછી એવું કોઇ પાપ બચતું નથી કે જેનો નાશ થયો ન હોય. અર્થાત્ માઘસ્નાન કર્યા પછી સર્વ પ્રકારના પાપનો નાશ થઇ જાય છે. માટે માસોપવાસ કરતાં પણ માઘસ્નાન અધિક કહેલું છે
  • આ રીતે ઠંડા જળના કષ્ટનો જે મનુષ્યો અનુભવ કરે છે, તે જનો શરીર છોડયા પછી પરલોકમાં કોઇ પણ પ્રકારનું દુઃખ પામતા નથી. માટે પૃથ્વીપર માઘસ્નાનનો મહિમા સર્વ કરતાં અધિક કહેલો છે

 

માઘસ્નાન પર્વમાં દાન કરવા યોગ્ય:

  • જ્યારે માઘસ્નાનની સમાપ્તિ થાય ત્યારે મનુષ્યોએ અતિ સુંદર રસયુક્ત છ પ્રકારના રસવાળા પદાર્થોનું શક્તિ પ્રમાણે દાન કરવું. તેવીજ રીતે સાત ધાનયુક્ત સૂક્ષ્મ વસ્ત્રોનું બ્રાહ્મણ દંપતીને દાન કરવું.
  • સાકર અને તલ મિશ્રિત ત્રીસ લાડુઓ દાનમાં આપવા. તેમજ તલ ભરેલા તાંબાના પાત્રનું પણ શક્તિ પ્રમાણે દાન કરવું.
  • ધાબળા, મૃગચર્મ, વસ્ત્રો અને અનેક પ્રકારનાં રત્નો, તેમજ સુંદર ડગલી, સુરવાળ આદિકનું પણ દાન કરવું.
  • પગની રક્ષા કરતાં પગરખાં, પાપનો વિનાશ કરનારા મોજા, તથા પોતાને ગમતી જે કોઇ બીજી વસ્તુ હોય તેનું પણ દાન કરવું.
  • પોતાનો અભ્યુદય ઇચ્છતા માઘસ્નાન કરનાર મનુષ્યે તે સર્વ પદાર્થોનું માઘસ્નાન કરતા વિપ્રને માઘમાસમાં દાન કરવું ને બોલવું કે આ મારા અલ્પ સરખા દાનથી હે માધવ ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ

 

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below