સુરત ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ (SVG) સહયોગથી તારીખ 31/1/2021 ને રવિવારના રોજ શ્રીજી મંદિરે બ્લડ કેમ્પનું (Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું
Blood Donation Camp

તારીખ 06/12/2020 ને રવિવારના રોજ સુરત ખાતે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત બ્લડ કેમ્પનું (Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં SVG Charity ના સભ્યોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલ SVG Charity ના દરેક સભ્યોને સહભાગી થવા બદલ પી.આઈ શ્રી એમ.કે ગુર્જર સાહેબએ હાર્દિક અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ-સુરત દ્વારા 06/09/2020, રવિવારના રોજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું(Plasma Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ને માત આપીને બહાર આવેલા ૫૦થી વધુ હરિભક્તો દ્વારા પ્લાઝમા દાન કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યા હતા. વડતાલ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ-સુરત દ્વારા પ્લાઝમા ડોનેશન કેમ્પનું(Plasma Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત 50થી વધુ હરિભક્તો પ્લાઝમા ડોનેશન કેમ્પમાં જોડાઈને કોરોના ને નાથવા સહભાગી બન્યા છે

Laxminarayan Dev Yuvak Mandal (LNDYM) Vadodara organized Blood donation camp at Vadodara on Dec 20, 2015. More than 100 haribhakto donated blood to help community.