Vadtal : Shreemad SatsangiJivan Katha | 18 May 2022

તારીખ 18/05/2022, બુધવારના રોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સનાતન 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી આચાર્ય નિવાસ, રઘુવીરવાડી, વડતાલને આંગણે કળથિયા પરિવાર (બોટાદ) દ્વારા શ્રીમદ્દ સત્સંગિજીવન કથા પારાયણ પૂ.કો.શા. સ્વામી શ્રીઘનશ્યામવલ્લભદાસજી – ગઢડા ના વક્તા પદે આયોજન કરવામાં આવ્યું છે. આ પવન અવસર પર પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા અને દીપ પ્રાગટોત્સવ કરી, વક્તાશ્રી તેમજ સંતો હરિભક્તોને દિવ્ય આશીર્વાદ આપ્યા..