Surat : Food Distribution – Shradhha Welfare And Education Trust, Madhar || 29 Oct 2023

ભવ્ય રાસોત્સવ, ભોજન પ્રસાદ વિતરણ – શ્રધ્ધા વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધર, સાયણ રોડ – સુરત
તારીખ : 29/10/2023

શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધર – સાયણ ખાતે માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો-યુવાનો સાથે ઉજવાયો ભવ્ય રાસોત્સવ
આ રાસોત્સવ માં સુરત સહિત આસપાસ નાં વિસ્તારો માંથી ખુબ જ મોટી સંખ્યા માં ધર્મપ્રેમી સજ્જનો ઉમટ્યા હતા, આ પ્રસંગે ખાસ વડતાલ થી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નાં ભાવિઆચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ઉપસ્થિત રહી માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો-યુવાનો ને ભોજન પ્રસાદ પીરસ્યુ અને એમની સાથે રાસ માં પણ જોડાયા, માતાજી ની આરતી ઉતારી ત્યાં હાજર વિશાળ જન મેદની ને સંબોધતા આવા સેવાકાર્ય ને બિરદાવતા એમની હાજરી ને પોતાનુ અહોભાગ્ય માન્યુ